જો શિયાળામાં પેટ ભરીને લીલી શાકભાજી ખાવામાં આવે તો તમારું સ્વાસ્થય ખુબ સારું રહે છે. જ્યારે શિયાળાની શાકભાજીમાં સૌથી વધુ જો શાકભાજી જોવા મળતી હોય તો, તે લીલા વટાણા છે. જેને અત્યારે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થય ખુબ તંદુરસ્ત રહે છે. પ્રોટીન, વિટામીન,ફોસ્ફરસ તથા લોહ તત્વથી ભરપુર વટાણા ભારતમાં શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતો પાક છે. ભારતીય રસોડામાં તેનું વિશેષ મહત્વ છે.
વટાણાથી બનેલ વટાણા પનીર અને સૂપ ભારતીયોને ખુબ પસંદ છે. આ ન માત્ર તમારા બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે પણ તે કેલ્શિયમ નો પણ સ્ત્રોત છે. જે લોકોમાં બ્લડ શુગર હોય તેને નિયમિત રીતે વટાણા ખાવા જોઈએ. લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્યને કેટલા લાભ થાય છે એ વાતથી તમે અજાણ હોય તો આજે જાણી લો અને શિયાળાની ઋતુ રહે ત્યાં સુધીમાં મનભરીને ખાજો લીલા વટાણા. તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ આ લેખમાં.
વજન ઘટાડવામાં સહાયક :
અત્યારે દરેક લોકોની એક જ સમસ્યા છે કે તેનું વજન દિવસે દિવસે વધી રહ્યું છે. પરંતુ લીલા વટાણા ફાઈબર અને પ્રોટીનથી ભરપુર હોય છે અને તેથી જ વટાણા લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, તે તમારી ભૂખ ધટાડે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં ફાયબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને કેલેરી ઓછી. આ ઉપરાંત તેનું સેવન કરવાથી શરીરમાં ઝડપથી ફેટ બર્ન થવાની પ્રોસેસ થાય છે. શક્ય હોય તો સવારના નાસ્તામાં લીલા વટાણા ખાવા જોઈએ તેનાથી શરીર દિવસભર સ્ફૂર્તિમાં રહે છે. તેમાં હાજર ફાઇબર વજન વધારવાથી રોકે છે.
વાળ ઝડપથી વધે અને ખરતા અટકાવે :
વટાણા ના છોતરા ને રાત્રે પાણીમાં નાખીને રાખો. સવારે તેને સારી રીતે મસળી ને નીચોવી લો. તે પાણીને વાળના મૂળમાં આંગળીઓથી ઘસવું અને પછી વાળને ધોવાથી વાળ ઝડપથી વધે અને ધાટા થાય છે. વટાણામાં વિટામીન સી હોય છે જે વાળને ખરતા અટકાવે છે. તેમાં વિટામીન બી6 અને ફોલિક એસિડ હોય છે જે લાલ રક્ત કોશિકાને વધારવામાં મદદ કરે છે.
તમારું સુગર લેવલ પર નિયંત્રણ રાખે છે :
આ સિવાય લીલા વટાણામાં ગ્લાયસિમિક ઇન્ડેકસ ઓછો હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખુધ્ધ જ હેલ્થી ફૂડ માનવામાં આવે છે. આ ઉપરાંત વટાણામાં મળતા ફાઈબર સુગરના સ્તર ઝડપથી વધવા નથી દેતું. પ્રથમ અને બીજા પ્રકારનાં ડાયાબિટીસ મેલીટસ સાથે, તમે ફક્ત એવા ખોરાક જ ખાઈ શકો છો કે જેમાં ગ્લાયકેમિક સ્તર ઓછું હોય અને લોહીમાં ગ્લુકોઝના વધારાને અસર કરતું નથી. વટાણાના લોટમાં ખાસ કરીને મૂલ્યવાન ગુણધર્મો હોય છે, જે કોઈપણ પ્રકારની ડાયાબિટીસ માટે અડધા ચમચી ખાતા પહેલા ખાઈ શકાય છે.
આંખો માટે :
આ ઉપરાંત વટાણામાં કેરોટીનોઈડ રંગદ્રવ્ય શૂટિન હોય છે, જે આંખો માટે સારું માનવામાં આવે છે. વટાણાના સેવનથી આંખની સાઇટમાં પણ સુધારો થાય છે. આંખની રોશની તેજ બને તેના માટે વટાણા ના ફળ અને પાલક નો રસનું સેવન કરો. 7 વટાણા ના દાણા ને ચાવીને ખાવાથી દાંત અને પેઢાની સુરક્ષા થાય છે. વટાણા ના છોતરી ને દાંત ઉપર ઘસવાથી દાંત સ્વચ્છ બને છે.
આયર્નની સમસ્યામાં રાહત આપે છે :
શું તમે જાણો છો કે લીલા વટાણામાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે. તેથી તેને આર્યન પણ માનવામાં આવે છે. લીલા વટાણા ખાવાથી આયર્નમાં ખલેલ નથી પહોંચતી. આયર્ન શરીરમાં એનર્જી લેવલ જાળવવાની સાથે સાથે તમને એનિમિયાની સમસ્યાથી પણ દૂર રાખે છે.
ડાઈજેશન સિસ્ટમ વધુ સારી થાય :
ઘણી વાર એવું સાંભળવામાં આવતું હોય છે કે, લોકોને શિયાળામાં ખોરાકનું પાચન કરવા તકલીફ પડતી હોય છે. તેથી ધણી વાર લોકો શિયાળા દરમિયાન ખોરાકને યોગ્ય રીતે પચાવી નથી શકતા. પરંતુ વટાણા તમને આ સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. વટાણામાં ઘણાં ફાઇબર હોય છે, જે ખોરાકને પચાવવામાં ખુબ જ મદદ કરે છે અને કબજિયાતનું નથી રહેતી.
સૌંદર્ય વધારવામાં :
વટાણા ને શેકીને, કાપી-વાટીને પછી તેને નારંગીના છોતરા સાથે વાટીને, દુધમાં ભેળવીને ચહેરા ઉપર અને હાથ પગ ઉપર ઘસવાથી સોંદર્ય આકર્ષક બને છે. વટાણા ના દાણા ને વાટીને શરીર ઉપર લેપ કરવાથી શારીરિક સૌંદર્ય વિકસે છે. વટાણા વાટીને શરીર ઉપર ઘસવાથી તડકા ની અસર કે બીજા કારણોથી થતી બળતરામાં રાહત મળે છે.
કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખે :
શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખવા માટે પણ લીલા વટાણા ફાયદાકારક હોય છે. તેમાં એવા ગુણ રહેલા છે જે કોલેસ્ટ્રોલના સ્તરને વધવા નથી દેતા. લીલા વટાણા ખાવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
માસિક ધર્મની તકલીફો થાય દુર :
વટાણાનું શાક ખાનાર સ્ત્રીઓ માસિક ધર્મની તકલીફો દુર કરી શકે છે. તેનાથી માસિક ધર્મ નિયમિત બને છે. વટાણા ના સેવનથી સ્ત્રીઓના સ્તનમાં દૂધનું પ્રમાણ વધે છે.
અન્ય ઉપાયો :
પોલીઓ ના રોગીઓ માટે વટાણા નું સૂપ ખુબ ફાયદાકારક છે. વટાણા નો હલવો બનાવીને ખાવાથી શરદી-સળેખમ થી સુરક્ષા થાય છે. વટાણા નું શાક ખાવાથી અને સૂપ બનાવીને પીવાથી શારીરિક શક્તિ નો વિકાસ થાય છે. એનીમિયા રોગીઓ માટે વટાણા નો સૂપ ખુબ લાભ આપે છે. સ્વાદ માટે લીબુનો રસ ભેળવવાથી વધુ ફાયદો થાય છે. ઠંડી ઋતુમાં ઠંડી હવા અને ઠંડા પાણીને કારણે હાથ અને પગની આંગળીઓ માં સોજો આવે છે. તેના માટે તમે વટાણાને પાણીમાં ઉકાળીને, તે પાણી ને ગાળીને તેમાં હાથને થોડી વાર નાખીને રાખો, સોજો તરત દુર થઇ જાય છે.
હૃદય રોગના દર્દીઓએ લીલા વટાણા ખાવા જોઈએ. તેનાથી હાર્ટની તકલીફો દૂર થઈ જાય છે. તેમાં સોજો ઘટાડતા ગુણ પણ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. વટાણામાં વિટામીન કે ભરપૂર હોય છે. આ વિટામીન હાડકા માટે જરૂરી હોય છે. આ ઉપરાંત વટાણા ખાવાથી હાડકામાં થતા ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટી જાય છે.
વટાણા થી નુકશાન :
(૧) પેટની તકલીફ હોય તો વટાણા નું સેવન ન કરવું જોઈએ.
(૨) ગેસથી પીડિત સ્ત્રી-પુરુષોએ વટાણા નું સેવન ન કરવું જોઈએ.
(૩) વધુ વટાણા ખાવાથી બાળકોમાં પેટની તકલીફ ઉભી થાય છે.
(૪) ગઠીયા થી પીડિત સ્ત્રી-પુરુષોએ રાત્રે વટાણા નું શાક ન ખાવું જોઈએ.
(૫) પથરી થી પીડિત લોકોએ વટાણા નું શાક ન ખાવું જોઈએ.