મળી ગયો વગર દવા અને ખર્ચે ધાધર , ખરજવું અને ચામડીના રોગનો 100% અસરકારક ઈલાજ, માત્ર 2 દિવસમાં રોગ ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતના ઉષ્ણ પ્રદેશોમાં મોટા ભાગે ચોમાંચામાં વરસાદ આવતા ઉગી નીકળે છે. તેને વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. જેમાં તેને અંગ્રેજીમાં Wild Sena તરીકે ઓળખવામાં આવે છે. તેનું હિન્દી નામ ચકવડ, પવાડ કહે છે.

ખરજવામાં સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે અને તે બાળકોમાં વધારે જોવા મળે છે. આ ખરજવા થવાના મુખ્ય કારણોમાં જીનેટીક વારસો જવાબદાર છે. તેમાં ચામડીના બેરીયર ફંક્શનમાં નુક્શાન થતું હોવાથી ચામડી કોરી અને શુષ્ક પડી જાય છે જેને લીધી ખૂબ જ ખંજવાળ સાથે ચામડી લાલ થઈ જાય છે.

ઠંડી ઋતુમાં આ એલર્જી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા દર્દીઓને સાથે શરદી, ખૂબ જ છીંક આવવી અથવા દમની બીમારી હોય છે. એલર્જીનો આ પ્રકાર ચામડીના સતત સ્પર્શમાં આવતા એલર્જનથી થતો રોગ છે. મુખ્યત્વે મેટલ એલર્જી જે નિકલ અથવા એના જેવી ઘણી ધાતુ (મિશ્ર) જેવી કે ઘરેણાં, ઘડિયાળ બનાવવામાં વપરાતી હોય છે, તેનાથી થાય છે.

ડિટરજન્ટ સાબુ, મેકઅપ, ઝાડનો અર્ક, છોડના પાંદડાઓ, એક્રેલીક અને સિન્થેટીક કપડાં, હેર કલર, અમુક જાતની મ્હેંદી વગેરેથી થતી એલર્જી સામાન્ય છે. આ એલર્જી થયાના લગભગ 24થી 48 કલાકની અંદર દર્દીની ચામડી લાલ થઈ જાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે. આની સાથે ક્યારેક ખરજવું પણ દેખાય છે

ખાસ કરીને હૃદય રોગ, કિડનીના રોગના દર્દીઓ અથવા વેરિકોઝવેસનના કારણે પગમાં કાયમના સોજા રહેવાથી, લોહીનું ભ્રમણ આવા અંગોમાં ઓછુ થાય છે.લોહીની નળીમાંથી પ્રવાહી લીક થવાથી ચામડીમાં રતાશ ચકામા થી ખરજવાની શરૂઆત થાય છે.

ઘણી વ્યક્તિઓને અમુક દવાઓની એલર્જી હોય છે જે લેવાથી ચામડીમાં જુદા-જુદા પ્રકારની એલર્જી થાય છે. જેમાં પેઈન કિલર દવાઓ, સલ્ફા, ખેંચ-આંચકીમાં વપરાતી દવાઓ મુખ્ય છે.

ચામડીમાં એલર્જી થવાથી તુરત જ તે ભાગને ઠંડા પાણીથી સાફ કરી ક્લેમાઈન લોશન, કોપરેલ જેવી સામાન્ય દવાઓ લગાડી શકાય. વારંવાર થતી એલર્જી માટે સ્કીન સ્પેશિયાલિસ્ટ કે એલર્જી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને એલર્જીથી દૂર રહેવાના પ્રયત્ન કરવા જોઈએ.

ચામડીના પ્રકાર મુજબના મોઈશ્ચરાઈઝર્સ હંમેશા અને વારંવાર લગાડવાનો આગ્રહ રાખો. ચામડી તૈલી રાખવા પ્રયત્ન કરવો. ન્હાવામાં વધુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો.

આજકાલ દરેક યુવક યુવતીઓ સુંદર દેખાવવાના સ્વપ્ન જોતા હોય છે. પરંતુ આજકાલની ભાગંભાગવાળી જીવનશૈલી અને ખાનપાનને કારણે આપણા શરીર પર વિપરિત અસરો પડી રહી છે. જેથી આપણને અનેક રોગો તો થાય જ છે આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થતો જઈ રહ્યો છે.

બરછટ ચામડીઑલિવ ઑઇલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી મલમ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સૂકાઇ પછી પાણીમાં ગુલાબ જળ નાંખી હાથ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઇ જશે. એક ચમચી ઘંઉના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગળવાથી ચામડી મુલાયમ થાય છે.ચામડીના રોગ વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે.

જે જગ્યાએ ત્વચા વિકાગસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દિવેલ દરરોજ દિવસમાં ત્રણ વખત ઘસતાં રહેવું. સામાન્ય ખંજવાળ, અળાઇ અને સોરાયસિસ કે એકઝીમાં જેવાં રોગો પણ દિવેલના વ્યવસ્થિત પ્રયોગથી કાબૂમાં આવી જાય છે.

ત્વચા સંબંધિ રોગમાં ગાજરનો રસ દૂધમાં મેળવી લેવો. ગાજરના રસ અને દૂધનું પ્રમાણ અવસ્થા ત્થા તકલીફના પ્રકાર પર આધાર રાખે છે. ખંજવાળ, દરાજ, અળાઇ, એલર્જી, સોરાયસીઝ જેવાં દારૂણ રોગોમાં પણ કોબીજના પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મૂકો કે પાટો બાંધી રાખો તો એ અચુક મટી જાય છે.

કાચા પપૈયાનું દૂધ ચોપડવાથી ચામડીના રોગો નાશ પામે છે.રોજ સવારે 20-20 ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી 4-5 માસ પીવાથી દાહ-ખંજવાળ અને ફોલ્લી જેવાં ચામડીના રોગો મટે છે. તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વિકારો મટે છે.

નારંગી ખાવાથી ચામડીના દર્દો દૂર થાય છે. કારેલીના પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ત્વચારોગમાં ફાયદો થાય છે. તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમળાનાં પંચાગ અધકચરા ખાંડી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને પીવું. ખાડી ચીજો (લીંબુ, આમલી, ટાંમેટાં વગેરે) બંધ કરવી.

તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું. એ તેલ શીશીમાં સંધરી રાખવું. ત્વચા રોગમાં દરરોજ ચારેક કલાક ને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું. પ્રયોગ નિયમિત એકાદ મહિનાનો કરવો જોઇએ. એની કશીજ આડ અસરો નથી.

કોલીફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારૂ હોવાથી કોઇપણ પ્રકારના ત્વચા રોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલ્દી મટી જાય છે. દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઇ જેવાં ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલિશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.

ત્વચારોગમાં ખાંડ-ગોળ, ધબીજ જાતના ફળ, ઠંડાપીણા, ઠંડી વાનગી, સાબુ અને સિન્થેટીક કાપડ, તલ, સીંગદાણા, દહીં, ભીંડા, સકરીયા વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલક, તુવેરની દાળ, હળદર ઘણા સારાં જે દરરોજ લઇ શકાય.

શુષ્ક ચામડી લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી ચામડીની શુષ્કતા મટે છે. સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતાં લાલ લાલ ચાંઠાં, ચામડીની શુષ્કતા વગેરે મટે છે. બેસન સાથે દહીં મેળવી ચોળવાથી શુષ્ક ચામડી સુંવાળી બને છે.1 ડોલ ગરમ કે ઠંડા પાણીમાં 1 લીંબુ નીચોવી સ્નાન કરવાથી ચામડી મુલાયમ થાય છે.

ચામડી પર ડાઘ લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દિવસમાં પરું, કૃમિ કિટાણું વગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top