કોઈપણ પ્રકારની દવા અને ઓપરેશન વગર માત્ર 2 માં 15mm પથરી પણ ભુક્કો કરી બહાર કાઢવાનો 100% અસરકારક દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લોહીમાં બેકાર તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સનું નિર્માણ કરે છે, જે કિડનીની અંદર એકઠા થાય છે. ધીમે-ધીમે આ ક્રિસ્ટલ્સ કઠણ પથ્થર જેવી ગાંઠ બની જાય છે. જેને પથરી કહી શકાય છે . આશરે 90 ટકા કિડનીની પથરીની સમસ્યા ખરાબ ખાણી-પીણીને કારણે થાય છે.

લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, માછલી, કાજૂ અને સોયાનું સેવન ઓછું કરો. કારણકે તેમા ઓકસાલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે કિડનીની પથરીનું કારણ બને છે. ઓછું પાણી પીવાની ટેવ થી અને વારસાગત પથરી થવાની શક્યતા રહે છે.

માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક અને ઓક્ષલેટ નું વધુ પ્રમાણ અને ખોરાક માં ફળો અને પોટેશિયમ નું ઓછુ પ્રમાણ હોવાથી પણ પથરી થવાનું જોખમ રહે છે. પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા વધારે પુરૂષોમાં જોવા મળે છે. કિડની ની પથરી હોય તેવાં દર્દીઓમાંના પંચોતેર ટકા અને મૂત્રાશય ની પથરી હોય તેવા દર્દીઓમાંના પંચાણુ ટકા પુરૂષો હોય છે.

જે વ્યક્તિ લાંબો સમય પથારી વશ રહે છે, તે ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણ માં રહેતા હોય છે. વારંવાર મુત્રમાર્ગનો ચેપ, મૂત્રમાર્ગમાં અવરોધ, ખોરાકમાં વિટામીન સી કે કેલ્શિયમ નુ અત્યંત વધારે પ્રમાણ પથરી થવાના કારણો છે.  દુઃખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય પણ વધારે હોય છે .

પિત્તાશય જયારે બરાબર કામ ન કરે ત્યારે જ તેમાં પથરી બનવાની શરૂઆત થાય છે અને તે પથરી સંખ્યામાં એક કે એક થી વધુ હોઈ શકે છે.  પિત્તાશયમાં થતી પથરી જયારે તેના મોઢા આગળ ફસાય કે પિત્તની નળીમાં સરકી જાય કે પિત્તની નળીમાં અટકાવ ઉત્પન કરે ત્યારે પિત્તાશયમાં સોજો આવે છે.

ઘણી વખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરીનાં કોઈ ચિહ્નો હોતાં નથી તેને સાઇલન્ટ સ્ટોન કહે છે. પીઠમાં અને પેટમાં સતત દુખાવો થવો, ઊલટી-ઊબકા થવા,  પેશાબમાં લોહી આવવું, પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થવી આ પથરી ના લક્ષણો છે. જો પથરી મૂત્રનલિકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય આ બધા કારણે પથરી શકે છે.

યુરિનમાં કેટલાક તત્વો હોય છે જે શરીરમાં સ્ટોન બનતા રોકે છે. તેમાં સાઈટ્રેટ, વિટામિન બી સિક્સ, મેગ્નેશિયમ, કેટલાક ખાસ પ્રોટિનનો સમાવેશ હોય છે. જેમનામાં આ તત્વો નથી હોતા તેમને પથરી થવાના ચાન્સ વધુ રહે છે. તમારા પરિવારમાં કોઈને પથરી હોય તો પણ તમને થવાના ચાન્સ વધી જાય છે .

ઓછું પાણી પીવાથી અને ટામેટાં તેમજ રિંગણ વધારે ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટ્સનું માનીએ તો, ટામેટા અને રિંગણના બીજથી પણ પથરીની સમસ્યા થઈ શકે છે. સતત કબજિયાત રહેતી હોય, કિડનીમાં ઈન્ફેક્શન હોય તો પણ પથરી થાઈ છે.

હાઇપર પૅરાથાઇરોડિઝમ નામની તકલીફ ધરાવતી વ્યક્તિઓના શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે શરીરમાં પથરીનું નિર્માણ થઈ શકે છે. રોજિંદા જીવનમાં ઓછું પાણી પીવાવાળી વ્યક્તિઓને પણ પથરી વધુ થતી હોવાનું નોંધવામાં આવ્યું છે. ક્ષાર ઓગાળવાની ક્ષમતા ઓછી હોવાથી પણ પથરી થઈ શકે છે.

પથરી મટાડવાના ઉપાય :

વધારે પ્રોટીમ યુક્ત અને ઓછી ફાઇબર વાળી ડાયેટનું સેવન કરવું જોઈઍ. જો તમને પથરી કેલ્શ્યિમના વધારે સેવનથી થઇ છે તો તમે તમારે ડાયેટમાં મીઠું કે ઓક્સાલિક એસિડ ઓછું કરવાની જરૂરત છે. તે કેલ્શ્યિમને શરીરમાં શોષિત થવાથી રોકે છે.

નાની પથરી તો યુરિનના રસ્તે બહાર નીકળી જાય છે. પરંતુ મોટી પથરીઓને તોડવાની જરૂરત હોય છે. પ્રવાહીમાં નારીયેળ પાણી, જવ નું પાણી, પાતળી છાસ, સાદા ઠંડા પીણા (જેમ કે મીઠા વગર ની સોડા, લેમન ટી), પાઈનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણ માં લેવાથી પથરી બનવા ની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ પ્રવાહીમાં પચાસ ટકા જેટલું પ્રવાહી સાદું પાણી જ લેવું જોઈએ .

પથરી ની તકલીફ હોય તેવી વ્યક્તિ એ આ પ્રકાર ના પ્રવાહી ન લેવા જોઈએ  જેવા કે દ્રાક્ષ નો રસ, એપલ જ્યુસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડ વાળા ઠંડા પીણા જેમ કે કોકા કોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે લેવાનું ટાળવું જોઈએ.

પથરીના કદ, આકાર અને સ્થાનની સચોટ માહિતી પેટના એક્સ-રે દ્વારા મળી શકે છે. પેટનો એક્સરે પથરીની સારવાર પહેલાં અને સારવાર બાદના ફેરફારો અંગે જાણકારી માટે સૌથી ઉપયોગી પદ્ધતિ છે. સીટી સ્કેન પથરીના નિદાન તેનું કદ અને મૂત્રમાર્ગમાં અવરોધની અત્યંત સચોટ માહિતી માટેની સૌથી વધુ ઉપયોગી તપાસ સાબિત થઈ છે.

ટામેટા અને રિંગણના બીજથી પથરીની સમસ્યા થાય છે. જેનાથી બચવા માટે આ બંને શાકને તેના બીજ કાઢીને જ ખાવા જોઈએ. પાણી વધારે પીવું જોઈએ. ભોજનમાં કેલ્શિયમનું પર્યાપ્ત સેવન જાળવવું, સોડિયમનાં સેવનને ઘટાડવું, પ્રાણીઓનાં પ્રોટિનનું સેવન મર્યાદિત કરવું બીટ, ચોકલેટ, ભાજી, ચા જેવા પદાર્થ થી પથરી થઈ શકે. તેથી આવા આહારનું સેવન ટાળવુંજરૂરી છે.

ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ મળે છે. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી અને રોજ સવારે પીવાથી પથરી મટાડી શકાય છે. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.

કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે. કળથી પચાસ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટાડી શકાય છે. કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી ને પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધી થતી ભયંકર પીડા મટી શકે છે.

ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂકો ખાર નાખી ને ઉકાળી ને પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પણ પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.

મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખવો આ મિશ્રણ રોજ પીવાથી પથરી ઓગળી જાય છે. પાલખની ભાજીનો રસ પીવાથી પણ પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી નું નિદાન કરી શકાય છે. કાંદાના વીસ ગ્રામ રસમાં પચાસ ગ્રામ ખાંડેલી (મિસરી)ખાંડ ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top